હે પ્રભુ મળ્યા મને તો તમે, એથી વિશેષ સુખ બીજું મારા માટે કયું હોઈ શકે? તોય હું અજ્ઞાની, ન જાણું તમને રે પ્રભુ. જાણું હું તમને પ્રભુ, બસ બીજું કાંઈ હું તો ન માગું. છે મારા હૃદયની આ પોકાર, છતાં પણ મારા દિલને કેમ ના સમજુ? પ્રત્યક્ષપણે મળ્યા પ્રભુ તમે મને તો પણ હું તમને કેમ ના સમજુ? છે એ તો મારું અનમોલ સુખ, સાચું સુખ એને કેમ ના ઓળખું? પ્રભુ હૃદયથી લઊં હું તારું નામ વિશ્વાસથી, ત્યાં તો મનમાં આંદોલનો ઊભા થાય છે. ન જાણી શકું હું તને રે પ્રભુ, ન સમજુ તારા એક અંશને. ત્યાં તો જ્ઞાની હું છું, એમ અહંમાં તો આવી જાઉં છું.
- સંત શ્રી અલ્પા મા