હે પ્રભુ, તું તો છે કરૂણાનિધાન, તો મારા પર બસ આટલી કૃપા કરજે. ભૂલું ભલે બીજું બધું, પણ એક ક્ષણમાત્ર માટે ન ભૂલું તારા નામને. ન ભૂલું કોઈના કરેલા ઉપકારને. તારા સ્મરણને ક્યારેય ભૂલવા દેતો નહીં. નહીં રહી શકું તારા વિના પ્રભુ એક પળ. તારા વગર મને રાખતો નહીં. ભલે લઈ લેજે બધા બાહ્ય આડંબર મારા, પણ હંમેશા આપતો રહેજે સદ્દબુદ્ધિ, સુવિચાર અને તારા નામની સંપત્તિ. પ્રભુ, છે પ્રાર્થના મારી, સ્વીકારવી પડશે તને ને તને. અતિથી બનીને પ્રભુ તું ભલે આવજે, પણ હંમેશા બોલાવજે મને સહવાસી તરીકે. ન સમજતો અતિથી મને તું, પણ બનાવજે અંતરવાસી મને પ્રભુ.
- સંત શ્રી અલ્પા મા