View Hymn (Bhajan)
Sr No. 4603 | Date: 25-May-20172017-05-252017-05-25અંતરીક્ષની યાત્રા ચાલુ થાશે ક્યારે, જ્યારે અંતરની યાતના ખતમ થાશેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=antarikshani-yatra-chalu-thashe-kyare-jyare-antarani-yatana-khatama-thasheઅંતરીક્ષની યાત્રા ચાલુ થાશે ક્યારે, જ્યારે અંતરની યાતના ખતમ થાશે
શાંતિનો અનુભવ થાશે ક્યારે, મનની ચંચળતા ખતમ થાશે ત્યારે
આનંદ ને ઉમંગ હૈયે ઊછળશે ક્યારે, પ્રભુનું શરણું સતત રહેશે જ્યારે
અંતરના ઊંડાણમાં દર્શન પ્રભુનાં થાશે ક્યારે, શરણું સત્યનું પમાશે ત્યારે
જીવન જીવવા જેવું બનશે ક્યારે, પ્રભુની કૃપા ને કરુણા સમજાશે ત્યારે
પ્રભુની સમીપતા પમાશે ક્યારે, દંભ ને આડંબરો ખતમ થાશે જ્યારે
સમતાનો સોમરસ પીવા મળશે ક્યારે, સાચી સમજણ જાગશે ત્યારે
દર્દનું અસ્તિત્વ ખતમ થાશે ક્યારે, દીદારે પ્યારના ખૂલશે જીવનમાં જ્યારે
અંતરીક્ષની યાત્રા ચાલુ થાશે ક્યારે, જ્યારે અંતરની યાતના ખતમ થાશે