View Hymn (Bhajan)
Hymn No. 4634 | Date: 02-Jul-20172017-07-022017-07-02મનુષ્યની વ્યથા ને એની કથાના અંત, આવ્યા નથી ને ના એ આવશેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=manushyani-vyatha-ne-eni-kathana-anta-avya-nathi-ne-na-e-avasheમનુષ્યની વ્યથા ને એની કથાના અંત, આવ્યા નથી ને ના એ આવશે
નવી નવી રજૂઆતો રહી છે સદા થાતી, ને એ ચાલુ રહેવાની છે
વિચિત્રતાનાં પ્રમાણ હજી સુધી મળ્યાં નથી, ને ના એ મળવાના છે
દર્દના સાગર ખાલી થયા નથી, ને ના કદી એ ખાલી થવાના છે
અજબગજબ વ્યવહાર એના, અટક્યા નથી ને ના એ અટકવાના છે
આકુળવ્યાકુળ અવસ્થાઓ સુધરી નથી ને, ના એ સુધરવાની છે
ખેલે ખેલ ક્યારે ને કેવા, ના એ કોઈ જાણી શક્યું છે, ના કોઈ જાણી શકવાનું છે
ભરતી-ઓટના એ ઊભરાઓ ના અટક્યા છે, ના એ અટકવાના છે
જ્યાં સુધી સાચી સમજ ને સમજવાનો પાકો નિર્ધાર નથી, ત્યાં સુધી આવું જ છે
આચરણ સુધરે જ્યારે, ત્યારે જ બધું બદલાવાનું છે, બાકી, મનુષ્યની વ્યથા ને એની કથાના અંત ...
મનુષ્યની વ્યથા ને એની કથાના અંત, આવ્યા નથી ને ના એ આવશે