View Hymn (Bhajan)
Hymn No. 2693 | Date: 16-Sep-19981998-09-161998-09-16ના હોય જીવનમાં કાંઈ લેવા દેવા, તોય અન્યની ચિંતા છૂટતી નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=na-hoya-jivanamam-kami-leva-deva-toya-anyani-chinta-chhutati-nathiના હોય જીવનમાં કાંઈ લેવા દેવા, તોય અન્યની ચિંતા છૂટતી નથી
ના હોય કોઈ જાન-પહેચાન તોય કરવી એની બદબોઈ, આદત એની છૂટતી નથી
આ તો કારણ છે કે જીવનમાં શાંતિ ચાહે છે સહુ કોઈ, પણ શાંતિ કોઈને મળતી નથી
કરે ખુદની ચિંતા તો વાત ઠીક, પણ અન્યની ચિંતામાં ફુરસદ મળતી નથી
નાં કાંઈ કોઈ માંગે કે કાંઈ લે, તોય નજર પ્રગતિ એની જોઈ શક્તી નથી
આ છે કેવી ભાવના માનવીના હૃદયમાં, કે જે એને વેદના વિના કાંઈ આપતી નથી
પોતાની કિતાબ બંધ કરીને, વાચવી છે અન્યની કિતાબ, બીજી કોઈ તમન્ના નથી
જલતા રહે એ તો સદાય ખોટી જલનમાં, કે આંખે અદેખાઈ આવ્યા વિના રહેતી નથી
તિરસ્કાર ને ધિક્કારની ભાવના હૈયેથી છૂટે છૂટતી નથી
ક્યાંથી જાણે કોઈને અપનાવવાની ખુશી, કે એ ખુશી એમને મળતી નથી
ના હોય જીવનમાં કાંઈ લેવા દેવા, તોય અન્યની ચિંતા છૂટતી નથી