ના મુખે મુખથી વાત થાય, ના ઇઝહાર કે ઇકરારનો આવાજ થાય
નયનોથી નયનોના વાર થાય, ના કાંઈ એમાં કહેવાય
ઊંડે ઊંડે ઉતરી જાય નશેનશમાં, સમાઈ જાય એને પ્યાર કહેવાય
પ્યાર નથી કાંઈ કોઈ દેખાવો, ના પ્યાર ની કોઈ જાહેરાત થાય
નયનોમાંથી વર્ષે એવો કે, દિલને એ ઘાયલ કરી જાય, પ્યાર એને કહેવાય
કહેવાથી ના પ્યાર કરાય, ના પ્યારની ચર્ચા સરેઆમ કરાય
શોભે એ તો મર્યાદામાં કે, પ્યાર એ તો અનુભવની પહેલેપાર ગણાય
બદલે સંજોગો, બદલે ભાવનાઓ, તોય બદલી એમાં ના થાય, પ્યાર એને …
જેટલું આપીએ એટલું ઓઠું લાગે, ના લેવાની તમન્ના કરાય, પ્યાર એને ...
ના જાગે ભેદભાવ કદી એની અખંડ ધારા, હૈયેથી વહેતી જાય, પ્યાર એને …
- સંત શ્રી અલ્પા મા
nā mukhē mukhathī vāta thāya, nā ijhahāra kē ikarāranō āvāja thāya
nayanōthī nayanōnā vāra thāya, nā kāṁī ēmāṁ kahēvāya
ūṁḍē ūṁḍē utarī jāya naśēnaśamāṁ, samāī jāya ēnē pyāra kahēvāya
pyāra nathī kāṁī kōī dēkhāvō, nā pyāra nī kōī jāhērāta thāya
nayanōmāṁthī varṣē ēvō kē, dilanē ē ghāyala karī jāya, pyāra ēnē kahēvāya
kahēvāthī nā pyāra karāya, nā pyāranī carcā sarēāma karāya
śōbhē ē tō maryādāmāṁ kē, pyāra ē tō anubhavanī pahēlēpāra gaṇāya
badalē saṁjōgō, badalē bhāvanāō, tōya badalī ēmāṁ nā thāya, pyāra ēnē …
jēṭaluṁ āpīē ēṭaluṁ ōṭhuṁ lāgē, nā lēvānī tamannā karāya, pyāra ēnē ...
nā jāgē bhēdabhāva kadī ēnī akhaṁḍa dhārā, haiyēthī vahētī jāya, pyāra ēnē …
|