View Hymn (Bhajan)

Sr No. 3976 | Date: 08-Oct-20002000-10-08સ્મૃતિ ને વિસ્મૃતિના પટ પરથી પસાર થતી મારી રે આ જીવન નૈયાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=snriti-ne-visnritina-pata-parathi-pasara-thati-mari-re-a-jivana-naiyaસ્મૃતિ ને વિસ્મૃતિના પટ પરથી પસાર થતી મારી રે આ જીવન નૈયા,

ધીમે ધીમે ચાલતી રે જાય, ક્યારેક આગળ તો ક્યારેક પાછળ.

મધદરિયે એ તો ડોલતી રે જાય, ક્યારેક વિસ્મૃતિ તો ક્યારેક સ્મૃતિ જગાડતી જાય,

જાય ક્યારે એ તો કયા પટ પર ના એ તો કાંઈ કહેવાય.

કઈ યાદ ધસી આવે ક્યારે, ને ક્યારે આવેલી યાદ તો ભુલાય,

સમજાય બધું તોય ના કાંઈ એમાં રે સમજાય, સ્મૃતિ ને વિસ્મૃતિના પટ પરથી…..

જનમો જનમની સ્મૃતિ ને વિસ્મૃતિ એમાં એ તો રમતી રે જાય,

ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ, બસ અનુભવ આજ એ તો આપતી રે જાય.

જગાડે ક્યારેક સૂતેલા વિચારોને તો ક્યારેક નવા વિચારોનું દાન દેતી રે જાય,

ઇચ્છાઓના અંકુરોને રે મારા એ તો સહેલાવતી રે જાય, સ્મૃતિ .......

સ્મૃતિ ને વિસ્મૃતિના પટ પરથી પસાર થતી મારી રે આ જીવન નૈયા
Snriti ne visnritina pata parathi pasara thati mari re a jivana naiya

View Original
Increase Font Decrease Font

 
સ્મૃતિ ને વિસ્મૃતિના પટ પરથી પસાર થતી મારી રે આ જીવન નૈયા,

ધીમે ધીમે ચાલતી રે જાય, ક્યારેક આગળ તો ક્યારેક પાછળ.

મધદરિયે એ તો ડોલતી રે જાય, ક્યારેક વિસ્મૃતિ તો ક્યારેક સ્મૃતિ જગાડતી જાય,

જાય ક્યારે એ તો કયા પટ પર ના એ તો કાંઈ કહેવાય.

કઈ યાદ ધસી આવે ક્યારે, ને ક્યારે આવેલી યાદ તો ભુલાય,

સમજાય બધું તોય ના કાંઈ એમાં રે સમજાય, સ્મૃતિ ને વિસ્મૃતિના પટ પરથી…..

જનમો જનમની સ્મૃતિ ને વિસ્મૃતિ એમાં એ તો રમતી રે જાય,

ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ, બસ અનુભવ આજ એ તો આપતી રે જાય.

જગાડે ક્યારેક સૂતેલા વિચારોને તો ક્યારેક નવા વિચારોનું દાન દેતી રે જાય,

ઇચ્છાઓના અંકુરોને રે મારા એ તો સહેલાવતી રે જાય, સ્મૃતિ .......



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


smr̥ti nē vismr̥tinā paṭa parathī pasāra thatī mārī rē ā jīvana naiyā,

dhīmē dhīmē cālatī rē jāya, kyārēka āgala tō kyārēka pāchala.

madhadariyē ē tō ḍōlatī rē jāya, kyārēka vismr̥ti tō kyārēka smr̥ti jagāḍatī jāya,

jāya kyārē ē tō kayā paṭa para nā ē tō kāṁī kahēvāya.

kaī yāda dhasī āvē kyārē, nē kyārē āvēlī yāda tō bhulāya,

samajāya badhuṁ tōya nā kāṁī ēmāṁ rē samajāya, smr̥ti nē vismr̥tinā paṭa parathī…..

janamō janamanī smr̥ti nē vismr̥ti ēmāṁ ē tō ramatī rē jāya,

kyārēka sukha tō kyārēka duḥkha, basa anubhava āja ē tō āpatī rē jāya.

jagāḍē kyārēka sūtēlā vicārōnē tō kyārēka navā vicārōnuṁ dāna dētī rē jāya,

icchāōnā aṁkurōnē rē mārā ē tō sahēlāvatī rē jāya, smr̥ti .......