View Hymn (Bhajan)
Hymn No. 2977 | Date: 03-Nov-19981998-11-031998-11-03તનમાં થાય દર્દ ને મન મારું દર્દથી ઘેરાઈ જાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tanamam-thaya-darda-ne-mana-marum-dardathi-gherai-jaya-chheતનમાં થાય દર્દ ને મન મારું દર્દથી ઘેરાઈ જાય છે
તનની આકુળ વ્યાકુળતાથી મન મારું આકુળ વ્યાકુળ થાય છે
પ્રભુ જોડાણ છે બંનેનું કેવું, કે એકને ઘા લાગે ત્યાં બંનેને અસર થાય છે
બને છે અલગ અલગ તોય, અલગ એકબીજાથી રહેવાય છે
શક્તિ ને સ્ફૂર્તિભર્યુ મન, તનમાં પ્રાણ સંચય કરી જાય છે
સ્વસ્થ અને તંદુરસ્ત તન મન ને થોડો ટેકો આપી જાય છે
મટાવવા છે બંનેના ખેંચાણ પણ, ના મક્કમતાભર્યો પુરુષાર્થ થાય છે
કરીએ ના કરીએ પ્રયત્ન ત્યાં તો, થાકીને બેસી જવાય છે
મળે ક્યાંથી જીત કે હારનો દામન છોડવો ના અમને પોષાય છે
લિપ્તિત છીએ અમે એવા કે અલિપ્તતા સમજી ના સમજાય છે
તનમાં થાય દર્દ ને મન મારું દર્દથી ઘેરાઈ જાય છે