છે તું તો ધીરજનો ભંડાર પ્રભુ. નહીં ખૂટે તારી આ ધીરજ, ભલે ખૂટે આ જગમાં. તારો મંત્ર તો સહનશિલતાનો છે પ્રભુ. સહી લે બધું તું હસીહસીને. કરૂણા તો છે તારી નસનસમાં વ્યાપેલી. લઈ લે તું બીજાનું દુઃખ પોતાનું સમજીને, ન કરે એમાં ક્યારેય તું ભેદભાવ. પ્રભુ, છે તું તો આ જગતનો તારણહાર તો પછી મારા હૃદયમાં વસજે તું. મહેકાવજે મારા જીવનને, એક સુગંધી હાર બનીને.
- સંત શ્રી અલ્પા મા