1. Home
  2. Spiritual Talks
  3. જીવન એટલે શું?

Read Spiritual Talk

જીવન એટલે શું?
Sr No. 2 | Date: August 1992

View Original
Increase Font Decrease Font

જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું? જગત એટલે શું? પ્રભુ એટલે શું? સમયના વહેતા પ્રવાહમાં, ધીરે-ધીરે, થોડું-થોડું સમજાતું ગયું. જ્યારે લાગ્યું કે આ સૃષ્ટિના સર્જનહાર પ્રભુ છે, ત્યારે પાછો એક તર્ક જાગ્યો કે એ કેવા હશે, કેવા નહીં? ખરેખર શું ભગવાન જેવું કાંઈક છે કે નહીં?

જ્યાં જગતમાં મારા જેવા અજ્ઞાનીઓ હોય છે, ત્યાં જ્ઞાનીઓ પણ વસતા જ હોય છે, અને પોતાના જ્ઞાનનો પ્રકાશ પાથરતા રહે છે. જ્યારે પ્રત્યક્ષ અનુભવ મેં લીધા, ત્યારે મને સમજાયું, કે આ દુનિયામાં કાંઈક દિવ્ય શક્તિ જેવું છે. ખરેખર મને ખબર પડી કે સર્વ વ્યાપકતા જેવું આ જગમાં કાંઈ રહેલું છે. દુઃખીના દુઃખ હરનાર, અનાથનો નાથ, નિરાધારનો આધાર, જેવું કાંઈક છે. છતાં પણ સમર્થતાને સ્વીકારવી, એ સહેલી નથી. પ્રત્યક્ષ દર્શન અનુભવ છતાં પણ, વિશ્વાસ લાવવો, શ્રદ્ધા પ્રગટાવી, એ મારા જેવા માટે બહુ કઠીન કાર્ય છે. જીવનમાં, વિશ્વાસ અને ભરોસાને ઓળખતા, જાગ્રતિ થાય છે, કે એ શું છે. એની જાણ થાત, તો ખબર પડત કે જીવન એક જાદુના ખેલ જેમ જ છે.

મેં તો માની લીધેલું કે ખાવું-પીવું, એશોઆરામ, અહં પોષવો, વિષય કસાયોમાં રાચતા રહેવું, ન આજનો વિચાર, ન તો કાલની ખબર, એ જ જીવન છે. પછી તો ક્ષણનો હીસાબ જ ક્યાં? ક્યાં છે મારા ઉગમ બિંદુ, ક્યાં છે અસ્ત? એનો તો વિચાર જ નહીં. પણ આ બધું કર્યા છતાં પણ, એક બેચેની રહેતી હતી, જેને મેં ગણકારી કાઢી હતી. ક્યારેક-ક્યારેક, અચાનક એવા સવાલ ઉઠતા, કે હું કોણ છું, અહીં શા માટે આવી છું, અહીં આવવાનું ધ્યેય શું છે? આ વિચારો મને હચમચાવી નાખતા પણ આડંબરથી જીવવાની આદતે, મને આ બધું ભૂલવામાં પણ વધું વાર લાગતી નહીં. આવા વિચારોનો વંટોળ ક્યારે આવતો ને ચાલ્યો જતો, એનું ભાન સુધ્ધાં મને રહેતું નહીં.

જીવનરૂપી નાવ ક્યાં અને ક્યારે, કેવી રીતે માપી લે છે, એ ન તો આજ સુધી કોઈએ જાણ્યું છે, ન તો કોઈ જાણવાનું છે. મનુષ્યના જીવનમાં ક્યારે કઈ ઘટના બનવાની છે, એની કલ્પના શુધ્ઘાં રહેતી નથી. એવો જ કાંઈ મારા જીવનમાં મોડ આવ્યો, કે જે વિષય વિશે હું કાંઈ જાણતી નહીં, પણ એને જાણવાની ઈચ્છા રહેતી, એવો વિષય મારી સમક્ષ આવી ઊભો રહ્યો, જેમાં મારી ખાસ કાંઈ રુચિ ન હતી. પણ જીવનમાં ક્યારે કઈ વસ્તુ સ્વીકારવી પડશે અને કયો વિષય રસમય બનશે, એની ખબર નથી પડતી. બસ એવી જ રીતે કાંઈક ચમત્કારની જેમ જીવનના પથ બદલાયા, ખોટા રસ્તાઓ છોડી, સાચા રસ્તાઓ પર આવી. કોઈકે (એટલે મારા ગુરુએ) મને પથની ઓળખાણ આપી, સાચા રસ્તાની જાણ આપી, જીવનમાં શું છે સમર્થ અને શું છે અસમર્થ, એ સમજાવ્યું. ખરેખર લાખ-લાખ ઉપકાર એમના મારા ઉપર, કે સાચા રસ્તાની જાણ કરાવી, સાચા માર્ગની જાણ કરાવી. મંઝિલ વગરના જીવન ને ધ્યેય વગરના જીવનની જાણ કરાવી. જીવન જીવવાની સાચી લગ્ન લગાવી, મંઝિલને પ્રાપ્ત કરવાની સાચી ઝંખના જગાવી.

મને જીવન પ્રત્યે વીતેલા સમય પર પસ્તાવો થયો. ખોઈ નાખેલી વ્યર્થ પળો પર નજર નાખતા ખરેખર થોડું હૈયું મારું કકળી ઊઠયું, પણ સમજાવવાથી સમજાયું, કે વીતેલી વ્યર્થ ક્ષણો પાછળ, આવેલી નવી ક્ષણોને વ્યર્થ ન કરો. જીવનને ચિંતા અને ઉપાધીમાંથી મુક્ત કરી, સુંદર રીતે અને આનંદથી જીવો.

જીવનનો મતલબ તમને પોતાની રીતે સમજાતો જશે. આ જગતમાં એવા અરિહંતો હજી બિરાજમાન છે, જેમણે કેટલા દુઃખ સહન કર્યા, કષ્ટ અને અપમાન સહન કર્યા, છતાં પણ હસતાં ને હસતાં જ રહ્યાં છે, અને બધાને આનંદ આપતા જ રહ્યાં છે. ઝેર પોતે લઈને, બીજાને અમૃત આપતા જ રહ્યાં છે.

આ બધું તો આજની તારીખમાં હજી પણ એટલું જ સત્ય છે. જ્યાં સુધી આ સૃષ્ટિ છે, ત્યાં સુધી આવા ભાવો પણ રહેવાના છે. મનુષ્ય, જીવનમાં જો એકવાર સાચા સુખનો અનુભવ કરી જાય, એકવાર સાચા આનંદમાં લીન બની જાય, તો એને આ શારીરિક અને સામાજીક આનંદ એક છળ અને કપટ સિવાય બીજું કાંઈ લાગતું જ નથી. પણ સાચા સુખને પામવું જ બહુ કઠીન છે. એને જીવનના આચરણમાં લાવવું સહેલું નથી. દુન્યવી આનંદમાં રંગાતા વાર નહીં લાગે, ખોટી માયામાં ફસાતા વાર નહીં લાગે, પણ સાચું આચરણ આચરવું, એ જીવનમાં ખાંડાની ધાર પર ચાલવા જેવું હોય છે. જીવનને સમજવું, એને સાર્થક કરવું, એ શબ્દોમાં આલેખવું નથી. એમાં પૂરી સર્મથતા, યોગ્યતા અને સ્પષ્ટતાની જરૂર હોય છે. એ બધું બસ ગુરુ જ આપી શકે છે. સમર્થતા તો પ્રભુ જ બક્ષે છે. પ્રભુમય બનવું, એ સોનાને તપાવી, એનામાંથી શુધ્ધ સોનું બહાર કાઢવા જેવું છે. એ તો હજી પણ સહેલું હશે, કારણ કે રેણ કસ કાઢવા એટલા અઘરા નહીં હોય, જેટલું પ્રભુમય બનવું.


- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

jīvanamāṁ manē kyārēka vicāra āvatō kē ā jīvana ēṭalē śuṁ? jagata ēṭalē śuṁ? prabhu ēṭalē śuṁ? samayanā vahētā pravāhamāṁ, dhīrē-dhīrē, thōḍuṁ-thōḍuṁ samajātuṁ gayuṁ. jyārē lāgyuṁ kē ā sr̥ṣṭinā sarjanahāra prabhu chē, tyārē pāchō ēka tarka jāgyō kē ē kēvā haśē, kēvā nahīṁ? kharēkhara śuṁ bhagavāna jēvuṁ kāṁīka chē kē nahīṁ?

jyāṁ jagatamāṁ mārā jēvā ajñānīō hōya chē, tyāṁ jñānīō paṇa vasatā ja hōya chē, anē pōtānā jñānanō prakāśa pātharatā rahē chē. jyārē pratyakṣa anubhava mēṁ līdhā, tyārē manē samajāyuṁ, kē ā duniyāmāṁ kāṁīka divya śakti jēvuṁ chē. kharēkhara manē khabara paḍī kē sarva vyāpakatā jēvuṁ ā jagamāṁ kāṁī rahēluṁ chē. duḥkhīnā duḥkha haranāra, anāthanō nātha, nirādhāranō ādhāra, jēvuṁ kāṁīka chē. chatāṁ paṇa samarthatānē svīkāravī, ē sahēlī nathī. pratyakṣa darśana anubhava chatāṁ paṇa, viśvāsa lāvavō, śraddhā pragaṭāvī, ē mārā jēvā māṭē bahu kaṭhīna kārya chē. jīvanamāṁ, viśvāsa anē bharōsānē ōlakhatā, jāgrati thāya chē, kē ē śuṁ chē. ēnī jāṇa thāta, tō khabara paḍata kē jīvana ēka jādunā khēla jēma ja chē.

mēṁ tō mānī līdhēluṁ kē khāvuṁ-pīvuṁ, ēśōārāma, ahaṁ pōṣavō, viṣaya kasāyōmāṁ rācatā rahēvuṁ, na ājanō vicāra, na tō kālanī khabara, ē ja jīvana chē. pachī tō kṣaṇanō hīsāba ja kyāṁ? kyāṁ chē mārā ugama biṁdu, kyāṁ chē asta? ēnō tō vicāra ja nahīṁ. paṇa ā badhuṁ karyā chatāṁ paṇa, ēka bēcēnī rahētī hatī, jēnē mēṁ gaṇakārī kāḍhī hatī. kyārēka-kyārēka, acānaka ēvā savāla uṭhatā, kē huṁ kōṇa chuṁ, ahīṁ śā māṭē āvī chuṁ, ahīṁ āvavānuṁ dhyēya śuṁ chē? ā vicārō manē hacamacāvī nākhatā paṇa āḍaṁbarathī jīvavānī ādatē, manē ā badhuṁ bhūlavāmāṁ paṇa vadhuṁ vāra lāgatī nahīṁ. āvā vicārōnō vaṁṭōla kyārē āvatō nē cālyō jatō, ēnuṁ bhāna sudhdhāṁ manē rahētuṁ nahīṁ.

jīvanarūpī nāva kyāṁ anē kyārē, kēvī rītē māpī lē chē, ē na tō āja sudhī kōīē jāṇyuṁ chē, na tō kōī jāṇavānuṁ chē. manuṣyanā jīvanamāṁ kyārē kaī ghaṭanā banavānī chē, ēnī kalpanā śudhghāṁ rahētī nathī. ēvō ja kāṁī mārā jīvanamāṁ mōḍa āvyō, kē jē viṣaya viśē huṁ kāṁī jāṇatī nahīṁ, paṇa ēnē jāṇavānī īcchā rahētī, ēvō viṣaya mārī samakṣa āvī ūbhō rahyō, jēmāṁ mārī khāsa kāṁī ruci na hatī. paṇa jīvanamāṁ kyārē kaī vastu svīkāravī paḍaśē anē kayō viṣaya rasamaya banaśē, ēnī khabara nathī paḍatī. basa ēvī ja rītē kāṁīka camatkāranī jēma jīvananā patha badalāyā, khōṭā rastāō chōḍī, sācā rastāō para āvī. kōīkē (ēṭalē mārā guruē) manē pathanī ōlakhāṇa āpī, sācā rastānī jāṇa āpī, jīvanamāṁ śuṁ chē samartha anē śuṁ chē asamartha, ē samajāvyuṁ. kharēkhara lākha-lākha upakāra ēmanā mārā upara, kē sācā rastānī jāṇa karāvī, sācā mārganī jāṇa karāvī. maṁjhila vagaranā jīvana nē dhyēya vagaranā jīvananī jāṇa karāvī. jīvana jīvavānī sācī lagna lagāvī, maṁjhilanē prāpta karavānī sācī jhaṁkhanā jagāvī.

manē jīvana pratyē vītēlā samaya para pastāvō thayō. khōī nākhēlī vyartha palō para najara nākhatā kharēkhara thōḍuṁ haiyuṁ māruṁ kakalī ūṭhayuṁ, paṇa samajāvavāthī samajāyuṁ, kē vītēlī vyartha kṣaṇō pāchala, āvēlī navī kṣaṇōnē vyartha na karō. jīvananē ciṁtā anē upādhīmāṁthī mukta karī, suṁdara rītē anē ānaṁdathī jīvō.

jīvananō matalaba tamanē pōtānī rītē samajātō jaśē. ā jagatamāṁ ēvā arihaṁtō hajī birājamāna chē, jēmaṇē kēṭalā duḥkha sahana karyā, kaṣṭa anē apamāna sahana karyā, chatāṁ paṇa hasatāṁ nē hasatāṁ ja rahyāṁ chē, anē badhānē ānaṁda āpatā ja rahyāṁ chē. jhēra pōtē laīnē, bījānē amr̥ta āpatā ja rahyāṁ chē.

ā badhuṁ tō ājanī tārīkhamāṁ hajī paṇa ēṭaluṁ ja satya chē. jyāṁ sudhī ā sr̥ṣṭi chē, tyāṁ sudhī āvā bhāvō paṇa rahēvānā chē. manuṣya, jīvanamāṁ jō ēkavāra sācā sukhanō anubhava karī jāya, ēkavāra sācā ānaṁdamāṁ līna banī jāya, tō ēnē ā śārīrika anē sāmājīka ānaṁda ēka chala anē kapaṭa sivāya bījuṁ kāṁī lāgatuṁ ja nathī. paṇa sācā sukhanē pāmavuṁ ja bahu kaṭhīna chē. ēnē jīvananā ācaraṇamāṁ lāvavuṁ sahēluṁ nathī. dunyavī ānaṁdamāṁ raṁgātā vāra nahīṁ lāgē, khōṭī māyāmāṁ phasātā vāra nahīṁ lāgē, paṇa sācuṁ ācaraṇa ācaravuṁ, ē jīvanamāṁ khāṁḍānī dhāra para cālavā jēvuṁ hōya chē. jīvananē samajavuṁ, ēnē sārthaka karavuṁ, ē śabdōmāṁ ālēkhavuṁ nathī. ēmāṁ pūrī sarmathatā, yōgyatā anē spaṣṭatānī jarūra hōya chē. ē badhuṁ basa guru ja āpī śakē chē. samarthatā tō prabhu ja bakṣē chē. prabhumaya banavuṁ, ē sōnānē tapāvī, ēnāmāṁthī śudhdha sōnuṁ bahāra kāḍhavā jēvuṁ chē. ē tō hajī paṇa sahēluṁ haśē, kāraṇa kē rēṇa kasa kāḍhavā ēṭalā agharā nahīṁ hōya, jēṭaluṁ prabhumaya banavuṁ.

Next
Next
હે પ્રભુ, હું તારી પાસેથી કાંઈક યાચના કરું છું



જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું? જગત એટલે શું? પ્રભુ એટલે શું? સમયના વહેતા પ્રવાહમાં, ધીરે-ધીરે, થોડું-થોડું સમજાતું ગયું. જ્યારે લાગ્યું કે આ સૃષ્ટિના સર્જનહાર પ્રભુ છે, ત્યારે પાછો એક તર્ક જાગ્યો કે એ કેવા હશે, કેવા નહીં? ખરેખર શું ભગવાન જેવું કાંઈક છે કે નહીં? જ્યાં જગતમાં મારા જેવા અજ્ઞાનીઓ હોય છે, ત્યાં જ્ઞાનીઓ પણ વસતા જ હોય છે, અને પોતાના જ્ઞાનનો પ્રકાશ પાથરતા રહે છે. જ્યારે પ્રત્યક્ષ અનુભવ મેં લીધા, ત્યારે મને સમજાયું, કે આ દુનિયામાં કાંઈક દિવ્ય શક્તિ જેવું છે. ખરેખર મને ખબર પડી કે સર્વ વ્યાપકતા જેવું આ જગમાં કાંઈ રહેલું છે. દુઃખીના દુઃખ હરનાર, અનાથનો નાથ, નિરાધારનો આધાર, જેવું કાંઈક છે. છતાં પણ સમર્થતાને સ્વીકારવી, એ સહેલી નથી. પ્રત્યક્ષ દર્શન અનુભવ છતાં પણ, વિશ્વાસ લાવવો, શ્રદ્ધા પ્રગટાવી, એ મારા જેવા માટે બહુ કઠીન કાર્ય છે. જીવનમાં, વિશ્વાસ અને ભરોસાને ઓળખતા, જાગ્રતિ થાય છે, કે એ શું છે. એની જાણ થાત, તો ખબર પડત કે જીવન એક જાદુના ખેલ જેમ જ છે. મેં તો માની લીધેલું કે ખાવું-પીવું, એશોઆરામ, અહં પોષવો, વિષય કસાયોમાં રાચતા રહેવું, ન આજનો વિચાર, ન તો કાલની ખબર, એ જ જીવન છે. પછી તો ક્ષણનો હીસાબ જ ક્યાં? ક્યાં છે મારા ઉગમ બિંદુ, ક્યાં છે અસ્ત? એનો તો વિચાર જ નહીં. પણ આ બધું કર્યા છતાં પણ, એક બેચેની રહેતી હતી, જેને મેં ગણકારી કાઢી હતી. ક્યારેક-ક્યારેક, અચાનક એવા સવાલ ઉઠતા, કે હું કોણ છું, અહીં શા માટે આવી છું, અહીં આવવાનું ધ્યેય શું છે? આ વિચારો મને હચમચાવી નાખતા પણ આડંબરથી જીવવાની આદતે, મને આ બધું ભૂલવામાં પણ વધું વાર લાગતી નહીં. આવા વિચારોનો વંટોળ ક્યારે આવતો ને ચાલ્યો જતો, એનું ભાન સુધ્ધાં મને રહેતું નહીં. જીવનરૂપી નાવ ક્યાં અને ક્યારે, કેવી રીતે માપી લે છે, એ ન તો આજ સુધી કોઈએ જાણ્યું છે, ન તો કોઈ જાણવાનું છે. મનુષ્યના જીવનમાં ક્યારે કઈ ઘટના બનવાની છે, એની કલ્પના શુધ્ઘાં રહેતી નથી. એવો જ કાંઈ મારા જીવનમાં મોડ આવ્યો, કે જે વિષય વિશે હું કાંઈ જાણતી નહીં, પણ એને જાણવાની ઈચ્છા રહેતી, એવો વિષય મારી સમક્ષ આવી ઊભો રહ્યો, જેમાં મારી ખાસ કાંઈ રુચિ ન હતી. પણ જીવનમાં ક્યારે કઈ વસ્તુ સ્વીકારવી પડશે અને કયો વિષય રસમય બનશે, એની ખબર નથી પડતી. બસ એવી જ રીતે કાંઈક ચમત્કારની જેમ જીવનના પથ બદલાયા, ખોટા રસ્તાઓ છોડી, સાચા રસ્તાઓ પર આવી. કોઈકે (એટલે મારા ગુરુએ) મને પથની ઓળખાણ આપી, સાચા રસ્તાની જાણ આપી, જીવનમાં શું છે સમર્થ અને શું છે અસમર્થ, એ સમજાવ્યું. ખરેખર લાખ-લાખ ઉપકાર એમના મારા ઉપર, કે સાચા રસ્તાની જાણ કરાવી, સાચા માર્ગની જાણ કરાવી. મંઝિલ વગરના જીવન ને ધ્યેય વગરના જીવનની જાણ કરાવી. જીવન જીવવાની સાચી લગ્ન લગાવી, મંઝિલને પ્રાપ્ત કરવાની સાચી ઝંખના જગાવી. મને જીવન પ્રત્યે વીતેલા સમય પર પસ્તાવો થયો. ખોઈ નાખેલી વ્યર્થ પળો પર નજર નાખતા ખરેખર થોડું હૈયું મારું કકળી ઊઠયું, પણ સમજાવવાથી સમજાયું, કે વીતેલી વ્યર્થ ક્ષણો પાછળ, આવેલી નવી ક્ષણોને વ્યર્થ ન કરો. જીવનને ચિંતા અને ઉપાધીમાંથી મુક્ત કરી, સુંદર રીતે અને આનંદથી જીવો. જીવનનો મતલબ તમને પોતાની રીતે સમજાતો જશે. આ જગતમાં એવા અરિહંતો હજી બિરાજમાન છે, જેમણે કેટલા દુઃખ સહન કર્યા, કષ્ટ અને અપમાન સહન કર્યા, છતાં પણ હસતાં ને હસતાં જ રહ્યાં છે, અને બધાને આનંદ આપતા જ રહ્યાં છે. ઝેર પોતે લઈને, બીજાને અમૃત આપતા જ રહ્યાં છે. આ બધું તો આજની તારીખમાં હજી પણ એટલું જ સત્ય છે. જ્યાં સુધી આ સૃષ્ટિ છે, ત્યાં સુધી આવા ભાવો પણ રહેવાના છે. મનુષ્ય, જીવનમાં જો એકવાર સાચા સુખનો અનુભવ કરી જાય, એકવાર સાચા આનંદમાં લીન બની જાય, તો એને આ શારીરિક અને સામાજીક આનંદ એક છળ અને કપટ સિવાય બીજું કાંઈ લાગતું જ નથી. પણ સાચા સુખને પામવું જ બહુ કઠીન છે. એને જીવનના આચરણમાં લાવવું સહેલું નથી. દુન્યવી આનંદમાં રંગાતા વાર નહીં લાગે, ખોટી માયામાં ફસાતા વાર નહીં લાગે, પણ સાચું આચરણ આચરવું, એ જીવનમાં ખાંડાની ધાર પર ચાલવા જેવું હોય છે. જીવનને સમજવું, એને સાર્થક કરવું, એ શબ્દોમાં આલેખવું નથી. એમાં પૂરી સર્મથતા, યોગ્યતા અને સ્પષ્ટતાની જરૂર હોય છે. એ બધું બસ ગુરુ જ આપી શકે છે. સમર્થતા તો પ્રભુ જ બક્ષે છે. પ્રભુમય બનવું, એ સોનાને તપાવી, એનામાંથી શુધ્ધ સોનું બહાર કાઢવા જેવું છે. એ તો હજી પણ સહેલું હશે, કારણ કે રેણ કસ કાઢવા એટલા અઘરા નહીં હોય, જેટલું પ્રભુમય બનવું. જીવન એટલે શું? 1992-08-01 /conv_para/?title=jivana-etale-shum