હે મારા પ્રભુ, હે મારા શક્તિ દાતા, મને જીવન જીવતા શિખવાડજો. નથી જાણતી હું મારા આ જીવનની અનમોલતાને, ભાન મને એનું કરાવજો. બાજી હોય મારા હાથમાં, ત્યાં મારા કર્તવ્યની મને તો યાદ અપાવજો. ન સરકી જાય સમય મને ચકાસીને, માટે હે પ્રભુ, એવી સૂઝ મને આપજો કે પાર પડું, શાંતચિત્તે સમયની ચકાસણીમાંથી અને તારી કસોટીથી.
- સંત શ્રી અલ્પા મા