પ્રભુ, જોઈ તારી કરૂણા આજે, હું તો સ્તબ્ધ બની ગઈ. આજે હું સમજી છું ખરો અર્થ કરૂણાનો. પ્રભુ, વરસાવી તે તો તારી અમીદૃષ્ટિ મારા પર, ન જોઈ મારી યોગ્યતા કે પાત્રતા. વગર યોગ્યતાયે, તે તો મને ઘણું બધું આપ્યું, જીવનને તે જીવતા શીખવ્યું. સાચો રસ્તો બતાવી મંજિલની જાણ કરાવી. ખરેખર પ્રભુ, તું તો પ્રેમનો સાગર છે.
- સંત શ્રી અલ્પા મા