મન તો છે રાગી, મન તો છે વૈરાગી. જીવનમાં ન કરીશ મનને મક્કમ, ત્યાં સુધી બધું ખોવાતું ને ખોવાતું રહેશે. કરીશ જો મનને મક્કમ, બાજી તો તારા હાથમાં ને હાથમાં રહેશે.
દુનિયાના ઘા નહીં લાગે તને, હશે મન જો મક્કમ તારું. નહીં વિંધાય આકરા વેણથી તારું હૃદય, મન પર વિજય હશે તો તારો. લઈશ જીવનનો મીઠો સ્વાદ ત્યારે, જ્યારે કરીશ મનને પ્રભુમાં લીન.
- સંત શ્રી અલ્પા મા