પહોચવું છે મંજિલ પર, મેળવી છે મંજિલને. લક્ષની તો સિદ્ધિ થઈ નથી, રસ્તો તો છે વાંકોચૂકો. પાડવા પડશે વિચારી ને પગલાં પણ ચડતો જાઉં છું ખોટા પગથિયા ઉપર ને ઉપર. વિચાર નથી કર્યો પાડેલા પગલાનો, તો કેમ મળશે મને મંજિલ? સાવચેતી વિનાનું છે જીવન, વિશ્વાસ વિનાની છે પળો, તો હાર્યા ને થાક્યા વિના શું મળશે મને?
- સંત શ્રી અલ્પા મા