પ્રભુ, છે મારા હૈયે તો ભેળસેળ કષાયો અને વિકારોની. તો કાઢવા પડશે તેને વીણી-વીણીને, એક એક પથ્થર મારા હૃદયમાંથી. લાગશે તો ઘણીવાર પણ હૈયે ધરી હામ કાઢવા પડશે બધા દુર્ગુણો મારા અને એની જગ્યાએ મૂકવા પડશે સદગુણ કેરો હાર, જે કદીય ન કરમાય, હંમેશા મહેકતો જ રહે. પ્રભુ, છે આ કાર્ય તો મુશ્કેલ મારા માટે, પણ નથી તારા માટે કાંઈ મુશ્કેલ. મૂકું છું ભરોસો તારા પર પ્રભુ, બનાવજે મારા જીવનને નિર્મળ ને નિર્મળ.
- સંત શ્રી અલ્પા મા