પ્રગટ થાશે જો જીવનમાં એકવાર સાચો પ્રેમ હૈયામાં તારા, તો દૂર થાશે હૈયાની કડવાશ આપમેળે. છે એ પ્રેમની પહેચાન નિસ્વાર્થ, બનીશ જઈશ તું સ્વાવલંબી. હશે જો ગહેરાઈ તારા પ્રેમમાં તો આવેલા ઉછાળા હૈયાના હૈયામાં જ સમાવાના છે. નહીં ક્યારેય બાહર ઊભરાવાના છે. પણ હશે જો છીછરો પ્રેમ તારો, તો નહીં ઝીલે કડવાશ કોઈની. તોડી દરેક બંધન, એ તો કુદતો ને કુદતો રહેવાનો. પામશે થોડું પણ ખોશે એ તો જાજું.
- સંત શ્રી અલ્પા મા