રાખજે યાદ જીવનમાં સત્કર્મ કરવાનું. બાકી તો તું ભૂલી જજે બીજું બધું. ન રાખતો ખોટી ઉપાધિઓ યાદ તું જીવનમાં. ભૂલી જજે બધી વ્યાધિઓને, નથી એ તને કાંઈ આપવાની. લેવાની છે એ તો તારો કિંમતી સમય, મિટાવવાની છે તારું સ્વરૂપ એ તો. ન પડતો એમાં, નહીં તો ઊભો ક્યારેય નહીં થઈ શકે. છે ચીકણી માટી એ તો, પગ મુકતા જ સરકતો ને સરકતો જવાનો છે.
- સંત શ્રી અલ્પા મા