સત્યને જાણવાની બહુ કોશિશ કરી - એ કોણ છે? શું છે? તરંગો તો ઘણા જગાવ્યા મારામાં,
પણ ખાલી નામ જ મને ખબર હતું. નથી જાણતો સત્યનો રંગ કે આકાર. જોયું ન હતું તેનું વિરાટ સ્વરૂપ. આખરે એક દિવસ, મળ્યું મને સત્ય - સામેથી ભેટવા આવ્યો. અસ્વીકાર કર્યો ત્યારે, પુરાવો માંગ્યો. જાણ્યું આખરે કે એ સત્ય તો હું પોતે છું. કેમ નકારું છું મારી જાતને? કેમ હું નથી રહેતો મારામાં? સમજતો નથી મને પોતાને, તો બીજાને સમજું, એ શું શક્ય છે?
- સંત શ્રી અલ્પા મા